mai ramabai samuh lagna yojna

યોજનાનો ઉદ્દેશ / હેતુ:

• લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમૂહલગ્નની પ્રથા અપનાવે તો લગ્નપ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય.

આવક મર્યાદા: શહેરી અને ગ્રામ્ય માટે રૂ.6,00,000

પાત્રતાના ધોરણો:

• આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર છે.
• પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહીં.
• કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ હોવી જોઈએ.
• લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
• સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
• સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે

યોજના અંતર્ગત મળતી સહાય:

આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ.12,000 કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.3,000 લેખે વધુમાં વધુ રૂ. 75,000ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

અરજીની પ્રક્રિયા:

https:/esamajkalyan.gujarat.gov.in એટલે કે ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી:

જિલ્લા નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા – જિલ્લા પંચાયતની કચેરી.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:

રજૂ કરવાના ડોક્યુમેન્ટ(સંસ્થાના)
• જિલ્લા નાયબ નિયામક જિલ્લા સ.અ (અનુસૂચિત જાતિ) ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર
• સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
• આમંત્રણ પત્રિકા / કંકોત્રી
• બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક

Posted by Veemla
Tags:
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *